પરીવાર નાં 13 તોલાના ખોવાયેલ ઘરેણાં મળી જતાં,માં મોગલ ની માનતા પૂરી કરવા કબરાઉ જતાં થયું એવું કે…

મિત્રો માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે.માતાજી મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતાનો અનુભવ કરે છે અને માતાજી મોગલ ગુજરાતમાં અનેક જગ્યાએ બેઠી છે જ્યારે કબરાઉ વડવાળી મોગલ ને જે લોકો સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી માને છે.

તે ભક્તોની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે છે અને માતાજી મોગલ ના પરચાઓ તો અવારનવાર સામે આવતા હોય છે અને ઘણા લોકો વિદેશમાંથી પણ પોતાની માનતાઓ પૂરી કરવા માટે ગુજરાતના કચ્છમાં આવતા હોય છે.હાલમાં મિત્રો એક વ્યક્તિને માતાજી મોગલે એવો પરચો આપ્યો છે.

કે જાણીને તમારી શ્રદ્ધા પણ માતાજી મોગલ પર બે થી ત્રણ ગણી થઈ જશે.એક વ્યક્તિ માતાજી મોગલના ધામ કબરાઉ 13 તોલાનો સોનાનો હાર લઈને આવ્યો હતો અને પહેલા તેમનો હાર ખોવાઈ ગયો હતો અને હાર ખોવાઈ જતા પરિવારના લોકો હાફલા ફાફળા થઈ ગયા હતા.

અને મોગલ ધામ આવતા મણીધર બાપુને સમગ્ર વાત કહી હતી.13 તોલાનો સોનાનો ઘરેણાં મળી જતા આ ભાઈ પરિવાર સાથે માતાજી મોગલ ના દર્શન કરવા માટે આવ્યા હતા અને મણીધર બાપુએ કહ્યું કે માતાજી તો અઢારે વરણ ની માં છે.

માતાજી મોગલ પાસે સાચા મનથી જો માનતા રાખો અને ઈચ્છા પ્રગટ કરો તો માતાજી મોગલ તમારી મનોકામનાઓ પૂરી કરશે અને માતાજી મોગલ ના અનેક પરચાઓ વિશે તમે સાંભળ્યું હશે અને માતાજી મોગલ તમામ લોકોના કામ કરે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »