સુહાગરાત દરમિયાન વરરાજા બેહોશ થઈ ગયો.દુલ્હન નો ઘૂંઘટ ઉઠાવતા થયું એવું કે વરરાજા બેભાન

લગ્ન પ્રસંગ અને પતિ-પત્ની વચ્ચેના કિસ્સા તો આપે કેટલાય સાંભળ્યા હશે, પણ યૂપીના એટામાં થયું કે, તેનાથી આખો પરિવાર આઘાતમાં જતો રહ્યો હતો. લગ્ન બાદ વરરાજો સુહાગરાતની તૈયારી કરી રહ્યો હતો. દુલ્હન પોતાના પતિના રુમમાં અંદર ગઈ. જ્યારે વરરાજાએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી, તો તેણે ના પાડી દીધી. વરરાજાથી રહેવાયું નહીં, તો તેણે દુલ્હનનો ઘુંઘટ હટાવ્યો, ચહેરા પરથી દુલ્હનનો જેવો ઘુંઘટ હટાવ્યો કે, વરરાજા બૂમ પાડી ઉઠ્યો હતો. વરરાજાને બાદમાં ખબર પડી કે, તેણે જે છોકરી સાથે લગ્ન નક્કી કર્યા હતા, તે આ મહિલા નહોતી પણ એક કિન્નર હતો. આ જાણ્યા બાદ વરરાજા તો ચોંકી ઉઠ્યો. તેને પાંચ દિવસ સુધી ઊંઘ ન આવી. પીડિતે તેના જેના સાથે લગ્ન નક્કી થયા હતા તે છોકરી અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ લગ્ન દિલ્હીમાં થયા હતા.

જૈથરાના એક ફળિયામાં રહેતા યુવકે રિપોર્ટ નોંધાવ્યો અને કહ્યું કે, તેના લગ્ન દુર્ગા મંદિર સ્કૂલ બ્લોક પાર્ટ-2 શકરપુર દિલ્હી નિવાસી એક યુવતી સાથે નક્કી થયા હતા. ત્રણ મેના રોજ લગ્ન થયા હતા. આ દરમિયાન છોકરીના પરિવારવાળાઓએ કંઈ પણ કહ્યું નહીં. ત્રણ મેના રોજ જાન લઈને દિલ્હી પહોંચ્યા અને આગામી દિવસે વિદાય થયા બાદ દુલ્હન લઈને ઘરે પહોંચ્યા. મહિલાઓએ રીત રિવાજ બાદ યુવકને સુહાગરાત માટે રુમમાં મોકલ્યો.

આ દરમિયાન યુવકને પત્ની સાથે વાત કરવાનો મોકો મળ્યો. આ દરમિયાન પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી. પહેલા દિવસે તો યુવક માની ગયો. બીજા દિવસે પત્ની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરી, પત્નીએ ફરી ના પાડી દીધઈ અને જે હકીકત સાઁભળી તે જોઈને યુવકની આંખો ફાટી રહી, પત્નીએ ખુદ કિન્નર હોવાનું કહ્યું હતું.

યુવકે કહ્યુ કે, તેમની સામે તે કિન્નર હોવાની વાત છુપાવી હતી. આરોપ છે કે, પાંચ દિવસ બાદ આરોપી પત્ની, સાસુ, સાળી, સસરા આવ્યા અને ઘરેણાં તથા રુપિયા લઈને ભાગી ગયા. પીડિતાએ ઘરેણાં તથા રૂપિયા માગ્યા તો, આરોપીઓએ હુમલો કરીને ભાગી ગયા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી. પીડિત યુવકે હવે જૈથરામાં ફરિયાદ આપી છે. પીડિતની ફરિયાદ પર પોલીસે રિપોર્ટ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

જ્યારે પીડિતને જાણકારી થઈ કે, તેની પત્ની કિન્નર છે, તો તે પાંચ દિવસ સુધી સુતો નહોતો. છઠ્ઠા દિવસે ઊંઘ આવી તો, સાસરિયાવાળા રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી ગયા. પીડિત પરિવાર જ્યારે કન્યા જોવા ગયા હતા, ત્યારે આવી કોઈ વાત કરી નહોતી. પીડિત પણ લગ્ન માટે રાજી થઈ ગયો હતો. ત્રણ દિવસ બાદ હકીકત સામે આવી પીડિત યુવક ટેન્શનમાં આવી ગયો, સમાજમાં વાતો ન થાય તેથી તે ચૂપ રહ્યો. કહેવાય છે કે, આરોપી પક્ષ સતત પરેશાન કરતો હતો. ત્યાર બાદ પીડિતે રિપોર્ટ નોંધાવ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »