વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આજ રોજ બાયડ તાલુકા ના ઉટરડા ગામે પૌરાણિક મહાદેવ ના મંદિરે બાયડ માલપુર ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ તાલુકા સદસ્ય પ્રતાપસિંહ મકવાણા
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આજ રોજ બાયડ તાલુકા ના ઉટરડા ગામે પૌરાણિક મહાદેવ ના મંદિરે બાયડ માલપુર ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ તાલુકા સદસ્ય પ્રતાપસિંહ મકવાણા તેમજ સંગઠન ના પૂર્વ ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ઉદેસિંહ ઝાલા, આરએસએસના કાર્યકર્તા વિપુલ જોષી તેમજ ભાજપ ના કાર્યકર્તા ઓ સાથે રહી વૃક્ષા રોપણ કરવા માં આવ્યું
ધવલસિંહ ઝાલા એ દરેક વ્યક્તિને ઘરે વ્યક્તિદીઠ વૃક્ષો નુ રોપણ કરવામાં આવે તેવી સલાહ આપી અને કાર્યકર્તાઓને અપીલ પણ કરી સાથે કોરોનાની મહામારી માં 18 કે તેથી વધુ વર્ષના દરેક વ્યક્તિઓએ કોરોના ની રસી નો ડોઝ લેવા વિનંતી કરી
અફવામાં ન આવવા સલાહ આપી તેમજ લોકોને સૂચન કર્યું કે અંધશ્રદ્ધામાંથી બહાર આવો અને ક્યાંક દારૂથી કોરોના થતો નથી તેઓ વિચારી ને વ્યસન તરફ વળેલા લોકોને દારૂથી દૂર રહેવાની સલાહ આપી તેમજ કોરોનાની મહામારી માં ગામમાં ભણેલ વિદ્યાર્થીઓને નાના બાળકોને ભણાવવાનું સૂચન કર્યું તેમજ વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે યુવાનોને અપીલ કરી
રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા