પરીક્ષા માં નાપાસ થયેલી દિકરી પાસ થાય તે માટે પિતા એ રાખી માં મોગલ ની માનતા. પાસ થતાં ક્યાં પહોંચ્યા જૂવો….
મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને સાથે સાથે ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી.
તેથી જ ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે. આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં એક ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આપણી સૌ પરિચિત છીએ એ માં મોગલના ત્રણ સ્થાનકો કે જે ભગુડા, કબરાઉ અને ભાયલા અહીં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. એટલું જ નહીં પરંતુ આજે આપણે વાત કરીશું કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે કે જેમાં મોગલ બિરાજમાન છે.
સાથે અહીં મણીધર બાપુ પણ બિરાજમાન છે ત્યારે એક યુવક પોતાની દીકરી માટે માનેલી માનતા પૂરી કરવા માટે અહીં કબરાઉ ધામ આવી પહોંચ્યો. કબરાઉ ધામમાં મોગલ ધામ ના મંદિરે સાક્ષાત બિરાજમાન એવા મણિધર બાપુએ એ યુવકને પૂછ્યું કે શેની માનતા હતી. ત્યારે યુવકે પોતાની દીકરી માટે માનેલી માનતા પૂરી કરવા માટે અહીં કબરાઉ ધામ આવ્યો તેમ જણાવ્યું હતું.
વિશેષમાં એ યુવકે કહ્યું કે તેની દીકરી એક પરીક્ષામાં પાસ થઈ શકતી ન હતી. બે વાર તેમાં ફેલ થઈ અને અંતે એ દીકરી ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. તેથી માં મોગલ નું નામ લઈને એ દીકરીએ પરીક્ષા માટેની તૈયારીઓ ચાલુ રાખી હતી અને તે તરત જ પાસ થઈ ગઈ.
તેથી માં મોગલની માનતા પૂરી કરવા માટે 21 હજાર રૂપિયામાં મોગલના ચરણે અર્પણ કરવા માટે અહીં આવ્યા છે. માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવાથી માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે, ત્યારે આ યુવકે પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ માં મોગલ એ ભક્તની માનતા પૂરી કરી.