ગુજરાતનું એવું મંદિર કે જેની પ્રસાદી રૂપે મળતી સુખડી મંદિર પરિસર ની બહાર નથી લઈ જવાતી.જાણો પૂરો ઇતિહાસ

આજે આપણે વાત કરીશુ ગુજરાતના મહુડી મંદિર વિશે જ્યાની સુખડી ઘરે લાવવાની મનાઇ છે તો આવો જાણીએ.મિત્રો તમને જણાવી દઇએ કે ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે.મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે.આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે.અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે.જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે.

મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે.મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી.ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે.

દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે છે અને ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે.આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે,પરંતુ તે પ્રાંગણમાં જ ખઈને અથવા ગરીબને આપીને પૂરી કરવાની હોય છે.લોકવાયકા અનુસાર અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે.

મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષધ છે. લોકવાયિકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળો કોઈ સફળ થઈ શક્યાં નથી.સેંકડો વર્ષ પહેલા પ્રાચીન મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું.જે સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું અને મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન,શ્રી આદેશ્વર સ્વામી ભગવાન,શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974 માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી.

મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીર ની સ્થાપના કરી છે.તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે અને તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે.ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા.તે સતીઓનું,સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા.

દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા.જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિ‍ણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે.પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિ‍ણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે.ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે.આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા.આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.

મિત્રો જૈન સમુદાયના મહત્વના તહેવાર પર્યુષણનો ગુરૂવારથી પ્રારંભ થયો છે, પર્યુષણ એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે.પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે.આ પર્વ ચોમાસાના ચાર મહિના દરમ્યાન આવે છે,જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.આ અવસરે આઠ દિવસ સુધી સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ,ભક્તામર પાઠ તેમજ સ્નાત્ર પૂજા,બપોરે સ્વાધ્યાય તેમજ બાળકો માટે ભજન તેમજ દીપ સંધ્યા પ્રતિયોગીતા પણ હોય છે.

આ દિવસોમાં જૈન સમાજના લોકો પુરી ભક્તિભાવથી પૂજા વિધી કરતા હોય છે.પર્યુષણ પર્વ પણ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકોએ ઉપવાસ સાથે આરાધના પણ કરી રહ્યા છે.નાના બાળકોથી માંડીને યુવાન,યુવતીઓ તેમજ વૃદ્ધો પણ શ્રદ્ધાભક્તિમાં લીન બન્યા છે.આ સમયે ગુજરાતમાં આવેલા જૈનોનાં પવિત્ર ધામ પાલિતાણા અને મહુડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.મહુડી એક બીજી રીતે પણ વિખ્યાતી પામ્યુ છે.મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું પણ અનેરૂ મહત્વ માનવામાં આવે છે.

મિત્રો અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે.વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે.જૈન ધર્મનું ચુસ્ત પાલન કરનાર દિલીપભાઈ કોઠારીને પુછવામાં આવેલ સવાલ મહુડીમાં આપવામાં આવી રહેલ પ્રસાદ સુખડી મંદિરમાંથી કેમ બહાર લઈ નથી જવાતી તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ એક જુની પરંપરા છે.

જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ છે. પરંતુ જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં.પરંતુ એક દિવસ એવું બન્યું કે ગામનો એક વ્યક્તિ તે સમયે પ્રસાદ રૂપે આપવામાં આવેલી સુખડી ગામની બહાર લઈ ગયો હતો ત્યારે ભગવાને પરચો દેખાડ્યો હતો.

ત્યારથી લઈને અત્યાર સુધી સુખડી મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતી નથી.નોંધનીય છે કે મહુડી જેવું વધુ એક મંદિર ગુજરાતમાં આવેલું છે જેનું નામ છે આગલોડ.ત્યાં પણ પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરમાંથી બહાર લઈ જવાતી નથી.આજે પણ ત્યાં પરંપરા ચાલતી આવે છે અને ગાંધીનગરની લગભગ પાત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે.મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે.

આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે.આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે.આ આખું મંદિર આરસપહાણ થી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે.જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »