રસ્તા પર નાં અનાથ બાળક નું નસીબ શમક્યું,અમેરિકાના દંપતીએ દત્તક લીધો,હવે અમેરિકામાં થશે…..

કહેવાય છે કે ભગવાને દરેક ના નસીબ પોતાના હાથે લખ્યા છે.જયારે સમય આવશે અત્યારે તે વસ્તુ તમને જરૂરથી મળશે અને કહેવામાં આવે છે કે જેનું કોઈ નથી હોતુ તેના ભગવાન હોય છે.આ કહેવતને સાચી સિદ્ધ કરતી એક ઘટના હાલ સામે આવી છે.

આજથી ત્રણ વર્ષે પહેલા પટનાની રસ્તા પરથી એક દીકરો મળી આવ્યો હતો.તેના માતા પિતાએ તેને રસ્તા પર જ છોડી દીધો હતો.ત્યાર પછી તેને અનાથ આશ્રમમાં રાખવામાં આવ્યો હતો.એ સમયે તો બધાને થતું હશે કે આ બાળકનું હવે શું.

અમેરિકાના વોશિંગ્ટનથી શુક્રવારે પટના પહોંચેલા એક કપલે એક વિકલાંગ બાળકને દત્તક લીધું છે.પટનાના દાનાપુરના એસડીએમ પ્રદીપ સિંહે જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ બાળક દંપતીને સોંપવામાં આવ્યું છે.ત્રણ વર્ષ પહેલા વહીવટીતંત્રને અરિજીત નામનો વિકલાંગ બાળક મળ્યો હતો.

બાળકને દત્તક લેનાર કેથરીન મિલરે કહ્યું કે અમે બાળકને ખૂબ પ્રેમ કરીએ છીએ અને ખુશ છીએ.અમે એક ચિકિત્સક સાથે વાત કરી છે અને અમે યુએસ પહોંચતાની સાથે જ તેની સર્જરી કરાવીશું.દત્તક લીધેલા બાળકના પિતા કર્નલ મિલરે કહ્યું કે બાળકને દત્તક લીધા બાદ અમે ખૂબ જ ખુશ છીએ. અત્યારે તેના વિશે વધુ કહી શકતો નથી પરંતુ તેને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડશે.તેની સાથે તેના અન્ય બાળકો જેવો વ્યવહાર કરશે.

અમેરિકાથી ડોક્ટર દંપતી ભારત આવ્યું હતું અને જયારે તેમને આ અનાથ દીકરાને જોયો તો તેમનું દિલ ખુબજ ભાવુક બની ગયું હતું.તે તરત જ નક્કી કરી દીધુ કે તે આ દીકરાને દત્તક લેશે અને તેમને આ વાત પ્રસાસનને કરી અને તેમને બધી તાપસ કરીને દીકરાને દત્તક આપવાનું નક્કી કરી દીધું.

આ વાત સાંભળીને અમેરિકાના આ દંપતી ખુબજ ખુશ થઇ ગયા હવે આ અનાથ દીકરો અમેરિકામાં મોટો થશે કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે આ દીકરાનું નસીબ આવી રીતે ચમકી જશે માટે જ કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું તેના ભગવાન હોય છે,દીકરાને હવે માતા પિતાને પ્રેમ મળશે અને દીકરો હવે પોતાના ઘરે અમેરિકા જશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »