ઉમરાળા ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના પૂતળાનું દહન કરાયુ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઉમરાળા પ્રખંડ દ્વારા ઉમરાળાના જવાહર ચોક ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તાજેતર માજ કાશ્મીર ઘાટીમાં સડયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધમાં આજરોજ આતંકવાદ ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરો એ “પાકિસ્તાન હાય હાય હર હિન્દૂ ને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ ભારત માતા કી જય, વંદે માતરમ” ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમમાં ઉમરાળા શહેર તાલુકાના અગ્રણીઓ અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »