રાજકારણ માં અટવાયેલું કામ માં મોગલે માત્ર ટૂંકા ગાળામાં કરતાં,વ્યક્તિ દોઢ લાખ ની માનતા લઈને કબરાઉ ગયો જ્યાં થયું એવું કે..

માતા મોગલ ની માનતા રાખવાથી ભક્તોના મોટા મોટા દુઃખ પણ દૂર થઈ જાય છે.જે પણ વ્યક્તિ માતા મોગલ પર વિશ્વાસ રાખે છે તેનો વિશ્વાસ હંમેશા ખરો ઉતરે છે.માતાને યાદ કરવા માત્રથી જ દુઃખ દૂર થઈ જાય છે.આજ સુધીમાં અનેક ભક્તોના દુઃખ માતાએ દૂર કર્યા છે.

ઘણા ભક્તોના તો અશક્ય હોય એવા કામ પણ કલાકોમાં જ માતા મોગલ ની માનતા રાખવાથી પૂરા થઈ જાય છે.જ્યારે આવો ચમત્કાર થાય છે તો ભક્તો દૂર દૂરથી માતા મોગલના દર્શન કરવા કબરાઉ ધામ દોડી આવે છે.આવી જ માનતા પૂરી કરવા એક મહિલા મસ્કત થી કચ્છ આવી હતી.

માતા મોગલ પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી. દયાળુ માતા મોગલ પોતાના ભક્તોના દુઃખ દૂર તુરંત જ કરી દેતા હોય છે.ભક્તોને પણ જ્યારે માતાનો પરચો મળે તો તે તુરંત જ મોગલ ધામ દર્શન કરવા માટે પહોંચી જાય છે.ઘણા ભક્તો તો એવા છે જે વિદેશથી મોગલ ધામ દર્શન કરવા આવી જાય છે.

માતા મોગલ ની પ્રખ્યાતી માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલી છે.માતા મોગલ ના ચરણે નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ આવી શકે છે.આવી જ રીતે એક યુવક દોઢ લાખ રૂપિયા લઈને માતાના ચરણે પહોંચ્યો હતો.

તેણે દોઢ લાખ રૂપિયા મણીધર બાપુના હાથમાં આપ્યું અને કહ્યું કે રાજકારણમાં તેનું એક મહત્વનું કામ હતું અને તેની ઈચ્છા હતી કે આ કામ પૂરું થઈ જાય.તેણે માતા મોગલ ની માનતા રાખી અને તેનું અધૂરું કામ પૂરું થઈ ગયું.તેથી તેણે પોતાની માનતા અનુસાર દોઢ લાખ રૂપિયા માતાના ચરણે ભેટ તરીકે અર્પણ કર્યા.

મણીધર બાપુએ તે રૂપિયાની ઉપર એક રૂપિયો મૂકીને બધા જ રૂપિયા યુવકને પરત આપી દીધા અને કહ્યું કે માતાએ તેની માનતા 251 ગણી સ્વીકારી છે હવે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »