બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી પૂજ્ય સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.

બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી પૂજ્ય સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા.

પૂજ્ય બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ. મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર અને અનુયાયીઓને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીશ્રી

ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને પૂજ્ય સ્વ. બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

ગુરુઆશ્રમનાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સ્વ. મનજીદાદાનો ગત ૧૪મી ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો.

સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ. મનજીદાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં પરિવાર અને ગુરુઆશ્રમના અનુયાયીઓને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »