મોગલ માંએ કર્યો એવો ચમત્કાર કે ભકતનો ખોવાયેલો સોનાનો ચેન પાછો મળી ગયો અને પછી થયું એવું કે……
મણીધર બાપુ કબરાઉ સ્થિત મોગલ ધામ ખાતે હંમેશા મોગલ માતાજીની વાર્તા કહેતા જોવા મળે છે.મોગલ માં પર વિશ્વાસ હોવાના કારણે તમામ લોકોના કામ પૂર્ણ થાય છે.આવા કિસ્સાઓ ત્યાં અનેકવાર સામે આવતા હોય છે.અહીંયા દરેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે અવારનવાર આવતા હોય છે.
મોગલમાં પર શ્રધ્ધા રાખવાથી દરેક ભક્તોના દુઃખ દૂર થાય છે.મોગલ માતાજીનું નામ લેતા જ મુશ્કેલ કામ પૂર્ણ થાય છે. ઘણા ભકતો માનતા માને છે ત્યારે તેઓની મનોકામના પણ પૂર્ણ થાય છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ મોગલ માતાજીનું મંદિર આવેલું છે.દરેક ભક્તો દરરોજ માતાજીના દર્શને જાય છે.રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે.
કબરાઉ મોગલ ધામ ખાતે ઘણા લોકો માનતા પૂર્ણ કરવા માટે આવે છે.હાલમાં એક યુવક તેની માનતા પૂર્ણ કરવા માટે આવ્યો હતો.તેની સંપૂર્ણ વાત જાણી તો એવું જાણવા મળ્યું હતું કે તે યુવકની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી.અને સોનાની ચેન હોવાથી તે ખૂબ જ ચિંતિત જોવા મળ્યો હતો.પરંતુ મોગલ માતાજીની માનતા કરવાથી તેને ચેન પાછો મળી ગયો હતો.
મધ્યમ વર્ગીય પરિવાર માટે સોનાની કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે પરંતુ તેનો સોનાનો ચેન પાછો મળી ગયો હતો અને મંદિરે આવીને તેણે આ માનતા પૂર્ણ કરી હતી.તેની સાથે તે 21,000 રૂપિયા લઈને તે હંમેશા હાજર રહેતા મણીધર બાપુને આપ્યા હતા.પરંતુ મણીધર બાપુએ આ સ્વીકાર્યા નહીં કારણ કે આ મંદિરમાં એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી.
મણીધર બાપુએ જણાવ્યું કે 21000 માંથી સાડા દસ હજાર તારા દીકરાને અને સાડા દસ હજાર રૂપિયા દીકરીને આપો.આ મંદિરમાં કોઈ પણ દાન સ્વીકારવામાં આવતું નથી.તારી માનતા અહીં પૂર્ણ થાય છે.મોગલ માતાજી તારું ભલું કરશે.મણીધર બાપુએ આવું કહેતા તે વ્યક્તિ ખૂબ જ આનંદમાં આવી ગયો હતો.