ગીરવે મુકેલો સોનાનો દોરો બેંક વાળા એ આપવાની નાં પાડી તો,મહિલાએ માં મોગલને યાદ કરીને માનતા માની અને થોડા જ દિવસોમાં થયો એવો ચમત્કાર કે…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે.માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે,તેથી ભક્તો માં મોગલના દરવાજે મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા માટે આવતા હોય છે,માં મોગલને યાદ કરવાથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પુરી થઇ જાય છે,માં મોગલ તો ખાલી ભાવના ભૂખ્યા છે.માં મોગલનું નામ લેવાથી જ ભકતોના ભલભલા દુઃખો દૂર થઇ જાય છે.

તેથી લોકો વિદેશોથી પણ માં મોગલની માનતા માનવા માટે આવતા હોય છે અને તે દરેક ભક્તોની મનોકામના માં મોગલ પુરી કરતા હોય છે,હાલમાં એક મહિલા પોતાનો સોનાનો દોરો અને ૨૧૦૦ રૂપિયા હાથમાં લઈને માં મોગલની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામમાં આવી પહોંચી હતી,મહિલાએ જણાવતા કહ્યું હતું.

તેમને આ દોરો બેન્કમાં ગીરવે મુક્યો હતો,છેલ્લા ૭ વર્ષથી બેન્કમાં દોરો મુક્યો હતો.પણ બેન્કમાં કોઈ તકલીફ હોવાથી બેન્કના અધિકારીઓ માનતા ન હતા કે તે દોર તેમનો છે.અને તે દોરો તેમને પાછો પણ આપતા ન હતા,તેથી આ મહિલાએ છેલ્લા ૭ વર્ષમાં ઘણા પ્રયત્નો કર્યા પણ તેમને દોરો ના મળ્યો એટલે તેમને માં મોગલને યાદ કરીને માનતા માની.

માં મોગલને કહ્યું હે માં મોગલ જો મારો દોરો પાછો આવી જાય તો હું સોનાનો દોરો અને ૨૧૦૦ રૂપિયા તમારા ધામમાં આવીને ચઢાવી જઈશ.ત્યારબાદ થોડા જ દિવસમાં સામેથી બેન્કવાળાનો ફોન આવ્યો કે તમારો દોરો લઇ જાઓ.બેન્કવાળાએ કોઈપણ વ્યાજ લીધા વગર મહિલાને તેમને પોતાનો દોરો પરત આપી દીધો હતો.

માં મોગલનો પરચો થતા મહિલા ખુબ જ ખુશ થઇ ગયા અને તે માનતા પુરી કરવા માટે હાલમાં કબરાઉ આવી પહોંચ્યા તો મણિધર બાપુએ મહિલાને કહ્યું કે બેટા માં મોગલમાં તારો વિશ્વાસ છે એટલે તારું કામ પૂરું થયું,આથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »