જ્યારે યુવક પોતાની માનતા લઈને માં મોગલ નાં ચરણો માં ગયો. ત્યારે શું કહ્યું મણીધર બાપૂ એ જૂઓ…
કહેવાય છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલ તો 18 વર્ષની માતા કહેવાય છે ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.
જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચુક યાદ કરતા હોય છે.એવામાં સાંભળ્યું છે કે માં મોગલ એ આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે એવું જ એક કિસ્સો હાલ આપણી સમક્ષ સામે આવ્યો છે કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ આવેલા માં મોગલ ધામે આવી પહોંચ્યો છે.
આ કિસ્સો જાણીને તમે પણ કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે માં મોગલ રાજી રાજી થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો.એવામાં મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી.
યુવકે કહ્યું કે તેની માનતા પૂરી થતાની સાથે જ તે માં મોગલના ચરણે 11000 રૂપિયાનો ચડાવ કરવા આવી પહોંચ્યો છે.અને મણીધર બાપુના એ યુવકે આશીર્વાદ લીધા મણિધર બાપુએ એ 11 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે આ કોઈ ચમત્કાર નથી.
મણીધર બાપુએ વિશેષમાં કહેતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી.એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર નથી.આ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો.જ્યારે પણ તેઓ માં મોગલના દર્શન કરે છે.ત્યારે તેઓ હસતા મોઢે ઘરે પરત કરતા હોય છે.